<div id="MiddleColumn_internal" style="text-align: justify; "><img src="https://static.vikaspedia.in/media_vikaspedia/gu/images/health/ab0acba97acb/ab9abeaa1a95abe-1/aaaac7a87aa8-aaeac7aa8ac7a9caaeac7aa8acda9f/25208.jpg" alt="" class="image-left" title="" />સામાન્ય રીતે ૫૦ વર્ષ પછી ઘુંટણમાં દુ:ખાવાની શરૂઆત થાય એટલે દરેક લોકોનાં મનમાં એ જ ડર આવે કે ઘુંટણની ગાદી ઘસાઈ તો નથી ને/ ઘુંટણમાં અવાજ આવે એટલે ફરીથી એ જ બાબત મૂંઝવ્યા કરતી હોય છે કે ઘુંટણમાં ઘસારો પડ્યો લાગે છે અથવા બે હાડકાં વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ હશે. પરંતુ જ્યારે પણ ઘુંટણના દુ:ખાવાની શરૂઆત થાય એટલે ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં એ મહત્વનું કે કોઈપણ રોગમાં શું શારીરિક ફેરફાર થતા હોય એ જાણવા જરૂરી હોય છે/ તથા એ થવાનું મુખ્ય કારણ શું હોય છે એ સારી રીતે જાણી અને તેને દૂર કરવામાં આવેતો પણ ઘુંટણના દુ:ખાવાનાં રોગથી મુક્તિ મેળવી શકાય છે.<br /> ઓટીક્યુલર કાર્ટીલેઝ (ગાદી) એ ઘુંટણનાં મુખ્ય હાડકાં ફીમર અને ટીબીયાની નીચે આવેલું ખૂબ જ પાતળું લેયર છે. જેની જાડાઈ આશરે 0.73MM જેટલી હોય છે. તેનું મુખ્ય કામ ઘુંટણના સાંધાની મુવમેન્ટ (પગ વાળવા-સીધા કરવાની) ક્રિયામાં સરળતા અને શોક એબ્ઝોર્વેશન (વજન લેવાની) કરવાનું હોય છે. તેનું મુખ્ય કામ સાંધા પર આવતું ભારણ ઓછું કરવાનું પણ હોય છે. સામાન્ય રીતે એટલે જ અગાઉ જણાવાયું હતું એમ ઘુંટણની ગાદીમાં ઘસારો પડવો એ તદ્દન નોર્મલ અને નેચરલ (કુદરતી પ્રક્રિયા) માનવામાં આવે છે. તેથી જ જ્યારે શરૂઆતમાં ગાદી ઘસાવાની શરૂઆત થાય. ત્યારે કોઈ પ્રકારનો દુ:ખાવો થતો નથી, કારણ કે તેને નર્વ કે લોહીનો સપ્લાય હોતો નથી. તેથી જ ગાદી ક્યારેય નવી બનતી નથી.<br /> સામાન્ય રીતે ગાદીના ઘસારાને મેડિકલમાં ચાર પ્રકારના તબક્કામાં વહેચવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રેડ-૧ ગાદી ઘસાય ત્યારે તેમાં માત્ર સામાન્ય સોફટ સ્પોટ(ભાગ) બને છે. જ્યારે ગ્રેડ-૨માં ગાદીમાં સામાન્ય ઈજા (ટીયર) જોવા મળતું હોય છે. જ્યારે ગ્રેડ-૩માં આ ઈજા ઊંડાણ સુધી હોય છે. ગ્રેડ-૪માં ગાદી સંપૂર્ણ પણે ખલાસ થઈ જતી હોય છે અને હાડકાંનો તે ભાગ ગાદી વગરનો થઈ જતો હોય છે. ગ્રેડ-૪ જો ઈજા કોર્ટીલેઝ (ગાદી)માં હોય તો બધા જ લેયર(ભાગ) ઘસાઈ જતા હોય છે અને તેને (ફૂલ-થિકનેસ લીઝન કહેવામાં આવે છે અને ગાદીનો આ ભાગ છૂટો પડી જઈને સાંધાની વચ્ચે આવી જતો હોય છે. આ ભાગને લુઝ બોડી કહેવાય છે.<br /> સૌથી મહત્વની બાબત એ છે કે ઘુંટણનાં કોર્ટીલેઝ (ગાદી)ને કોઈપણ પ્રકારનો લોહીનો સપ્લાય હોતો નથી. સામાન્ય રીતે જ્યાં લોહીનું પરિભ્રમણ હોય એ ભાગમાં ઈજા થાયતો એ નવો બને, પરંતુ ગાદીમાં આ ન હોવાથી ક્યારેય પણ ઘુંટણની ગાદી નવી બનતી નથી. એ પણ જરૂરી છે કે આર્ટીક્યુલર કાર્ટીલેઝ (ગાદી) ઘસાય એટલે દુ:ખાવો થાય એ બાબત જરૂરી હોતી નથી.<br /> જેમને પણ ઘુંટણના દુ:ખાવા હોય એટલે એવું સમજે કે ડોકટર પાસે જઇએ તથા X-Ray પડાવીએ એટલે ગાદી ઘસાઈ છે કે નહીં તેવું જાણવા મળશે. પરંતુ જ્યારે પણ ઘુંટણનો X-Ray પડાવવામાં આવે ત્યારે X-Rayની અંદર માત્ર અને માત્ર ઘુંટણનાં હાડકાં એટલે કે ફીમર, ટીબીયા પહેલાં જ દેખાય છે. X-Rayમાં ઘુંટણનાં હાડકાની સાચી સ્થિતિ જ જાણી શકાય છે. ઘુંટણની ગાદી ઘસાઈ ગઈ છે કેટલી ઘસાઈ છે તેનું કોઈપણ માર્ગદર્શન X-Ray પરથી મળી શકતું નથી. અત્યારના સમયમાં ઘુંટણની સર્જરી એક એવો વિકલ્પ બની ગયો છે, જેમાં માત્ર X-Ray પરથી જ સર્જરીનો નિર્ણય લેવામાં આવે છે. MRI પણ ઘુંટણનો કાર્ટીલેઝ (ગાદી) ઘસાઈ છે એવું બતાવી શકે છે પરંતુ કેટલી ઘસાઈ છે/ તથા કેટલી ઘસાવાની બાકી છે/ તેનો ચોક્કસ પ્રમાણમાં જવાબ આવી શકતું નથી. એટલે જ મેડિકલ ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે માત્ર X-Rayનાં રિપોર્ટ જોઈને સર્જરી કરવી તે યોગ્ય નથી. સામાન્ય રીતે X-Rayના રીપોર્ટ તથા દર્દીની તકલીફ તથા તેની ક્લિનિલ કંડીશન ચેક કરી ને જો સર્જરી કરવાના આવે તો વધારે ફાયદો થાય અને સર્જરી એ ક્યારેય પ્રથમ વિકલ્પ બનતો નથી. જો કોઈ પણ દર્દીને ઘુંટણમાં અસહ્ય દુ:ખાવો હોય તો પણ સૌથી પહેલાં કન્ઝર્વેટિવ એટલે કે સર્જરી વગર દુ:ખાવો મટાડવામાં આવે તેવા પ્રયત્ન કરવા અને ઘુંટણમાં દુ:ખાવા માટે જરૂરી પરિબળો પર ધ્યાન આવી જો સારવાર કરવામાં આવે તો ચોક્કસ પ્રમાણે ઘણાં બધાં ઘુંટણનાં દર્દથી પીડાતાં લોકોને ઓપરેશન વગર જ ફાયદો કરી શકાય છે.<br /> વધુ માહિતી માટે સંપર્ક કરો<br /> ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ<br /> આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,<br /> સુભમ સર્જન ફ્લેટ્સ,<br /> યશ એકવાની પાસે<br /> વિજય ક્રોસ રોડ<br /> નવરંગપુરા<br /> અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯<br /> ફોન: 076240 11041<br /> ઇ-મેઈલ:info@aalayamrehab.com</div>