સાંધાના વા ના એક્સોથી વધારે પ્રકાર છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ એમાનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ વા સામાન્ય રીતે સ્ત્રીઓમાં ૪૫-૫૦ વષઁની ઉમરે થાય છે. વારંવાર પૂછાતાં પ્રશ્નો ઓસ્ટીઓ આર્થરાઇટીસ એટલે શું? સાંધાના વા ના એકસો થી વધારે પ્રકાર છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ આમાંનો એક પ્રકાર છે. દુનિયામાં સૌથી વધારે લોકો આ વાથી પીડાય છે. સામાન્ય રીતે આ વા ના લક્ષણ ૫૦ વષઁની ઉમર પછી દેખાય છે, સ્ત્રીઓમાં અને વધારે શ્રમ કરતા પુરુષોમાં આ વા વધારે જોવા મળે છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ થવાનુ કારણ શું છે? આ વા થવાનું એક ચોક્કસ કારણ આપી શકાય તેમ નથી. દરેક માણસના સાધાંનો આકાર, બંધારણ તથા મજબુતી અલગ હોય છે. જે આ બિમારી થવામા અગત્યનો ભાગ ભજવે છે. માણસના કામનો પ્રકાર, જીવન જીવવાની પધ્ધતિ આ બિમારી આગળ વધારવામા અગત્ય નો ભાગ ભજવે છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ ક્યા સાંધામાં થઇ શકે છે? ગોઠણના સાંધામાં આ બીમારી સૌથી વધારે થાય છે. આંગળીઓના ટેરવા પાસેના સાંધા, બન્ને હાથના અંગૂઠાના મૂળ પાસેના સાંધા, પગના અંગૂઠાના મૂળ પાસેના સાંધા તથા કમરના મણકામાં આ બિમારી વધારે જોવા મળે છે. આ બીમારી ના ચિન્હો શું છે? સાંધાનો દુખાવો આ બીમારીનું મુખ્ય ચિન્હ છે. આ બીમારી ધીમી ગતિથી આગળ વધે છે. શરૂના વષોઁમા ખૂબ શ્રમ થયા પછી જ દુઃખાવો થાય છે. ધીમે ધીમે દુઃખાવો સતત રહે છે અને તેની તીવ્રતા વધતી જાય છે. સાંધાનો આકાર બદલાય છે. દદીઁ ની સાંધા વાપરવાની ક્ષમતા ઘટતી જાય છે. આ બિમારીમાં સામાન્ય રીતે સાંધા ઉપર સોજો રહેતો નથી. એક જ પોઝીશન મા લાંબો સમય રહ્યા પછી સાંધા જકડાઇ જાય છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસનું નિદાન કઇ રીતે કરવામાં આવે છે? દદીઁ ના લાક્ષણીક ચિન્હો ઉપરથી આ બિમારીનું નિદાન થાય છે. સાંધાના એકસ-રે બિમારી થી થયેલુ નુકસાન જાણવામાં મદદ કરે છે. લોહીની તપાસ આ બિમારીનું નિદાન કરવામાં મદદરૂપ થતી નથી. દવા શરૂ કરતા પહેલા લોહીના કણૉ તથા કીડની ની તપાસ કરવી જોઇએ. ઓસ્ટીઓ આર્થરાઇટીસ ની સારવાર કઈ રીતે કરવામાં આવે છે? સારવારના પ્રકાર: નુકસાન પામેલા સાંધા જળવાઇ રહે તે માટે જીવન જીવવા ની પધ્ધતી બદલાવવી. કસરતો કરવી. વજન ઘટાડવું દવાઓ – દુખાવો ઓછો કરવા માટે / સાંધા જાળવવા માટે. ઓપરેશન – દુરબીન દ્વારા (Arthroscopy/ આર્થોસ્કોપી)/ સાંધા જાળવવા માટે / સાંધા બદલવા માટે. નુક્શાન પામેલા સાંધા જળવાઇ રહે તે માટે શું કરવું જોઇએ? ગોઠણના સાંધા તથા કમરના મણકાને જાળવી રાખવા માટે જીવન જીવવાની પધ્ધતિ બદલવી જરૂરી છે. જમીન ઉપર બેસવુ નહીં. પલાંઠી મારવી નહીં. ઉભડક બેસવુ નહીં ( દેશી સંડાસ વાપરવું નહીં.) કારણ વગર ચાલવું નહીં. જમવા માટે ખુરશી ઉપર બેસવું. એક જ જગ્યાએ બેસવા પછી ઉભા થતાં પહેલા દસ-પંદર વાર સાંધા હલાવવા થી જકડન ઓછી થાય છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસમાં ખોરાકમાં શું કાળજી લેવી જોઇએ? વજન ઘટાડવું તથા ઘટાડેલું વજન જાળવી રાખવું સૌથી મહત્વનું છે. ફ્કત 5 કીલો વજન ઘટવાથી દુખાવામાં 50% ફાયદો થઇ શકે છે. વજન ઘટાડવા ડાયેટીશીયનની સલાહ લઇ શકાય. ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં કસરતો કઇ રીતે કરવી જોઇએ? રૂમેટૉલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ સ્નાયુ મજબુત કરવાની, સાંધાની મૂવમેન્ટ વધારવાની કસરતો ફીઝીયોથેરાપીસ્ટ પાસે શીખી અને આજીવન નિયમિત કરવી જોઇએ. મીણ નો શેક, Ultrasound, IFT વગેરે પધ્ધતિઓ વધી જતા દુઃખાવા ને હળવો કરવામાં મદદરૂપ થાય છે. ગોઠણની તકલીફ ધરાવતા દદીઁઓએ લાકડી રાખવી જોઇએ. જે દદીઁના સાંધા ખૂબ નબળા પડી ગયા છે અને ઓપરેશન કરી શકાય તેમ નથી – તેમને સાંધાને ટેકો આપતા પટ્ટા મદદરૂપ થાય છે. દરેક દદીઁઓએ આ પટ્ટા વાપરવાની જરૂર નથી. ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં કઇ દવાઓ વપરાય છે? ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં બે પ્રકાર ની દવાઓ વપરાય છે. દુ:ખાવો ઓછો કરવા માટે. સાંધા બગડતા રોકવા માટે [ DMOADS ] દુ:ખાવો ઓછો કરવા માટે પેરાસીટામોલ, ટ્રામાડોલ સૌપ્રથમ વાપરવામાં આવે છે. જ્યારે સાંધામાં સોજો હોય ત્યારે એન્ટીઇન્ફ્લેમેટરી દવાઓ જેમ કે ડાઇક્લોફેનાક, નેપ્રોક્સેન, ઇટોરીકોક્સીબ ટૂંક સમય માટે વાપરવામાં આવે છે. ફક્ત એક જ સાંધામા સોજો હોય ત્યારે, સાંધામાં સ્ટીરોઇડ નું ઇંજેકશન ટૂંકા ગાળા માટે રાહત આપી શકે છે. આ ઇંજેક્શન વારંવાર લેવુ હીતાવહ નથી. દુ:ખાવાની વિવિધ દવાઓ ધરાવતા મલમ પણ દુખાવામાં રાહત આપી શકે છે. સાંધા બગડતા રોકવાની દવાઓ [ DMORDS ] ગ્લુકોસામીન સલ્ફેટ: આ દવા સાંધાનુ “વિટામીન” કહેવામાં આવે છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ ની શરૂઆત ના તબક્કામાં લાંબો સમય લેવાથી આ દવા દુ:ખાવામાં રાહત આપી શકે છે. હાઇલ્યુરોનીક એસીડ ઇન્જેક્શન : હાઇલ્યુરોનીક એસીડ સાંધાની ગાદી નો અગત્યનો ભાગ છે. જે દદીઁ ના સાંધા અતિ ખરાબ છે પરંતુ સાંધા બદલવાનું ઓપરેશન થઇ શકે તેમ નથી તે દદીઁ માં આ ઇન્જેકશન ટુંકા ગાળા માટે રાહત આપી શકે છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં ક્યા પ્રકાર ના ઓપરેશન થઇ શકે છે? Arthroscopy/ આર્થોસ્કોપી HTO [હાઇ ટીબીયલ ઓસ્ટીઓટોમી] આર્થ્રોપ્લાસ્ટી દદીઁ ની જરૂર પ્રમાણે રૂમેટૉલોજીસ્ટ દ્વારા ઓપરેશનની ભલામણ કરવામાં આવે છે.