ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અને પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ હોઈ શકે છે અને ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે. મુખ્યત્વે ચોમાસામાં નીચેના રોગ જોવા મળે છે કે જેને યોગ્ય માહિતી હોય તો સહેલાઈથી અટકાવી શકાય છે. મલેરિયા મલેરિયા એ ચોમાસામાં જોવા માલ્ટા મુખ્ય રોગોમાંનો એક છે. આ રોગ માળા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે. આ રોગ ચોમાસામાં બંધિયાર પાણી ભરવાના લીધે ફેલાય છે. કારણ કે આવા પાણીમાં મચ્છરોની વૃદ્ધિ સહેલાઈથી થાય છે. આ રોગમાં ચોક્કસ અંતરે તાવ આવવો, શરીરમાં ઠંડીસાથે ધ્રુજારી આવવી, સ્નાયુનો દુખાવો તથા અશક્તિ આવી જવી જેવા ચિન્હો અને લક્ષણો જોવા મળે છે. મલેરિયાને અટકાવવાના ઉપાયો આ રોગને અટકાવવા માટે સૌ પ્રથમ બંધિયાર પાણી નો નિકાલ થવો જોઈએ તથા મચ્છરોને અટકાવવા મચ્છરદાની કે જાળી નો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, અગાઉથી જ એન્ટી મલેરિઅલ દવાઓ પણ લઇ શકાય છે જે મલેરિયા થતો અટકાવે છે. સરકાર દ્વારા લોકોમાં મલેરિયા અંગે જાગૃતતા લાવવી જોઈએ અને તેને અટકાવવાના ઉપાયો પણ જણાવવા જોઈએ. કોલેરા કોલેરા એ ચોમાસામાં જોવા મળતો અન્ય જીવલેણ રોગ છે. આ રોગ માટે જવાદાર બેકટેરિયા એ અશુદ્ધ ખોરાક અને પાણીમાં જોવા મળે છે. આ ઉપરાંત, અસ્વચ્છતા તથા ગંદકીભર્યા = વાતાવરણ ના લીધે પણ આ રોગ થઇ શકે છે. કોલેરાના મુખ્ય લક્ષણમાં અતિશય માત્રામાં પાણી જેવા જાળા થઇ જાય છે. આ ઉપરાંત ઉલટી તથા સ્નાયુઓમાં આંચકી પણ જોવા મળી શકે છે. કોલેરાને અટકાવવાના ઉપાયો કોલેરાની રસી ઉપલબ્ધ છે કે જે ૬ મહિના સુધી કોલેરા સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત, નિયમિત સાબુ તથા પાણી વડે હાથ ધોવા જોઈએ. હંમેશ ઉકાળેલું અથવા મિનરલ પાણી પીવું. ગરમ પીણાં મોટા ભાગે સુરક્ષિત હોય છે, અને બોટલ કે કેનમાંથી પીણાં પીતી વખતે બહારની બાજુ વ્યવસ્થિત સાફ કરવી. રાંધેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખવો અને રસ્તા પાર મળતા તથા ફેરિયા પાસેથી મળતી ખાવાની વસ્તુઓથી દૂર રહેવું. ટાઇફોઇડ ટાઇફોઇડ એ પાણી દ્વારા ફેલાતો રોગ હે અને ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે. ટાઇફોઇડ એ બેકટેરિયા દ્વારા ફેલાય છે અને અશુદ્ધ પાણી તથા ખોરાક થી ફેલાઈ શકે છે. આ રોગનું ગંભીર લક્ષણ એ છે કે રોગના બેકટેરિયા દર્દી સજા થઇ ગયા પછી પણ તેના પિતાશયમાં જોવા મળી શકે છે. આ રોગના લક્ષણોમાં લાંબાગાળા સુધી તાવ આવવો, પેટમાં સખત દુખાવો થવો તથા માથાનો દુખાવો જોવા મળે છે. ટાયફોઇડને અટકાવવાના ઉપાયો આ એક કોમ્યુનીકેબલ રોગ છે કે જે સહેલાઈથી ફેલાઈ શકે છે. આથી ટાઇફોઇડના દર્દીને બીજા લોકોથી અલગ રાખવા જોઈએ. તથા ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. દર્દી એ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ અને સજા થઇ ગયા પછી પણ તકેદારી રાખવી જોઈએ. ડેન્ગ્યુ ડેન્ગ્યુ પણ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે અને વાઇરસ દ્વારા થાય છે, કે જેમાં મચ્છર જયારે ડેન્ગ્યુના દર્દીને કરડે છે ત્યારે ડેન્ગ્યુ ના વાઇરસ મચ્છર માં પ્રવેશે છે અને જયારે આ મચ્છર અન્ય લોકોને કરડે ત્યારે મચ્છરમાંથી ડેન્ગ્યુ વાઇરસ જે તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને આ રીતે ડેન્ગ્યુનો ફેલાવો થાય છે. ડેન્ગ્યુમાં અચાનક ખુબ જ વધારે તાવ આવવો, શરીરમાં ધ્રુજારી આવવી, સ્નાયુ તથા સાંધામાં દુખાવો થવો, ભૂખ ના લાગવી, શરીર પર લાલ ચાંઠા દેખાવા, અસામાન્ય રીતે લોહી નીકળવું જેમ કે નાકમાંથી, પેઢામાંથી કે પેશાબમાં લોહી પડવું જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુને અટકાવવાના ઉપાયો બને ત્યાં સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરમાં યોગ્ય અંતરે પેસ્ટિસાઇડ્સ દ્વારા મચ્છરો નો નિકાલ કરવો. ઘરમાંથી બહાર અતિ વખતે લાંબી સ્લીવના શર્ટ તથા લાંબા પેન્ટ પહેરવા . શરીર પર કે કપડાં પર મચ્છર દૂર રાખવાની ક્રિમ લગાડી શકાય . આ ઉપરાંત ચોમાસામાં ચિકનગુન્યા, કમળો, વાઇરલ ફીવર, લેપ્ટોસ્પાઇરોસિસ જેવા રોગો પણ જોવા મળે છે. રોગોને અટકાવવા માટે ઉપર જણાવેલ ઉપાયો ઉપરાંત નીચેની તકેદારી પણ લેવી જોઈએ. ઘરમાં કે ઘરની નજીક પાણીભરાઈ ના રહે તેનું ધ્યાન રાખવું, ઘરમાં કૂંડાઓમાં કે કુલરમાં પાણી ભરાઈ ના રહે તેનું ધ્યાન રાખવું. ઘરમાં તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી કે જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય. રસ્તા પાર કે લારી પાર મળતા ખોરાક જેવા કે ખુલા કાપેલા ફાળો કે પાણીપુરીથી દૂર રહેવું. પગમાં પણ ભેજના કારણે ફંગસ થઇ શકે છે જેનું ખાસ ધ્યાન રાખવું. અને ભીના કપડાં કે મોજા લાંબા સમય સુધી પહેરી ના રાખવા જોઈએ. કોઈ પણ ખોરાક લેતા પહેલા, ખોરાક રંધાતા પહેલા અને ટોયલેટ બાદ ખાસ હાથ સાબૂપાણીથી ધોવા. આમ, ચોમાસામાં અનેક પ્રકારના રોગો થઇ શકે છે. પરંતુ યોગ્ય તકેદારી લેવાથી તથા આપણી આજુબાજુ તથા ઘરમાં સ્વચ્છતા જાળવવાથી મોટા ભાગના રોગોને થતા અટકાવી શકાય છે. ડૉ ગોપાલ રાવલ, પલ્મોનોલોજિસ્ટ.