<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <ul> <li>આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.</li> <li>ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.</li> <li>રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.</li> <li>આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.</li> <li>આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.</li> <li>બિનજરૂરી શોખનાં ચશ્માથી પણ આંખો બગડે છે.</li> <li>ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્યારે ગોગલ્સ પહેરવા.</li> <li>લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.</li> <li>નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.</li> <li>વાંચતા લખતા આંખ થાકી જાય ત્યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.</li> <li>આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.</li> <li>સૂર્યગ્રહણ સામે જોવાથી ક્યારેક કાયમી દ્રષ્ટિ જતી રહે છે.</li> <li>આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.</li> <li>હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.</li> <li>આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્ય ફરિયાદ હોય ત્યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્યાન આપો.</li> <li>લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.</li> </ul> <span>સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન</span> <ul> </ul> </div>