સુન્નતની વિધિ છોકરાઓને જન્મજાત તેમના શિશ્નના માથાને આવરી લેતો ચામડીનો પટ્ટો હોય છે જેને શિશ્નાગ્રછદ(ચામડી)કહેવાય છે. સુન્નતમાં આ ચામડીને ઑપરેશન દ્વારા કાઢવામાં આવે છે, જેનાથી શિશ્નનુ અંત ખુલ્લુ પડે છે. સુન્નત જન્મના ૨થી ૩ અઠવાડિયામાં કરવું સૌથી ઉત્તમ છે, કારણ કે જેમ બાળક મોટું થાય તે વધુ જટિલ બની શકે છે. મોટાભાગે તે પહેલા ૧૦ દિવસમાં કરવામાં આવે છે (ઘણી વખત પ્રથમ ૪૮ કલાકમાં). સમય પહેલાના બાળકો કે જેમને કોઈ અન્ય સમસ્યાઓ છે તેમની સુન્નત હોસ્પિટલમાં છે ત્યાં સુધી નથી કરવામાં આવતી. શિશ્નની શારીરિક વિકૃતિ (જેને ઑપરેશનથી જ સુધારી શકાય) સાથે જન્મેલા શિશુઓની સુન્નત નથી કરવામાં આવતી કારણ કે તેમનું શિશ્નાગ્રછદ ફેર રચનાત્મક ઑપરેશનમાં વાપરી શકાય. સુન્નતવાળા શિશ્નની સંભાળ દર વખતે જ્યારે તમે તેમને નવડાવો તો સાબુ અને ગરમ પાણી સાથે ધૂઓ સૌમ્ય રહો કારણ કે સુન્નત પછી બાળક હળવી અગવડતા અનુભવશે. જો કાપ પર પાટો હોય તો જો જરૂર હોય તો નવો લગાડો. સામાન્ય રીતે તે મટતા ૭ થી ૧૦ દિવસ લાગે છે. ત્યાં સુધી પછી ટોચ કાચી અથવા પીળા રંગની લાગશે. નિચેના લક્ષણો હોય તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરોઃ નિરંતર રક્તસ્રાવ શિશ્નની આસપાસ લાલાશ જે ૩ દિવસ પછી વધુ ગંભીર થઈ જાય છે તાવ આવવો ચેપના ચિહ્નો, જેમ કે, પરુ-ભરેલા ફોલ્લીઓની હાજરી સામાન્ય રીતે સુન્નતના ૬ થી ૮ કલાકમાં પછી પણ પેશાબ ન થવો