ડુંગળી ખાવાથી કંઠ-ગળું અને મોં ચીકાશ વગરનું બની સાફ થાય છે, અને નીર્બળ બનેલા સ્નાયુઓ મજબુત થાય છે. આથી સ્મરણ શક્તિ પણ વધે છે. ઈંડાંનું કૉલેસ્ટરોલ વૃદ્ધોની સ્મૃતીને લાભકારક હોય છે, એવું બર્કલેની કેલીફોર્નીયા યુનીવર્સીટીમાં શ્રી. સીંગરે કરેલા સંશોધને પુરવાર કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વૃદ્ધોના શરીરમાં રહેલ કૉલેસ્ટરોલ તેમની સ્મરણ શક્તિ જાળવવા માટે સક્ષમ ન હતું, પરંતુ આહારમાં ઈંડાં લઈ શરીરમાં ઉમેરેલું કૉલેસ્ટરોલ એ માટે સક્ષમ હતું. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ