<div id="MiddleColumn_internal" style="text-align: justify; "><ol> <li><strong>સર્વાંગસોજા</strong> એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી કરીયાતું અને અડધી ચમચી સુંઠનો ભુકો નાખી ઉકાળી અડધા કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. સવાર-સાંજ આ ઉકાળો તાજો જ બનાવી પીવો. એ મૃદુ વીરેચક, જંતુઘ્ન અને પાચક હોવાથી સર્વાંગ સોજા, ગળાનો અને શ્વાસનળીનો સોજો તથા કફના રોગોમાં ખુબ ફાયદો કરે છે.</li> <li>આખા શરીરે સોજા આવ્યા હોય, જળોદર થયું હોય, તો સવાર-સાંજ જમ્યા પછી દોઢ કલાકે પાણી સાથે અથવા સહેજ ગરમ દુધ સાથે અડધીથી એક ચમચી હરડેનું ચુર્ણ ફાકી જવાથી થોડા દીવસમાં ફાયદો જણાવા લાગે છે અને છેવટે મટી જાય છે. આ ઉપચાર વખતે માત્ર દુધ પર રહેવું.</li> ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.<br /> સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ </ol></div>